તમારૂં ભવિષ્ય સુધારવું એ તમારા હાથમાં છે

સંજીવની
સંજીવની

કુદકે ને ભુસકે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, નીત નવી શોધખોળો એ આ વિશાળ દુનિયાને નાની બનાવી દીધી છે. વર્ષો પહેલા જે વાતો સામાન્ય માણસ વિચારી નહોતો શકતો. તેના કરતાં ઘણું વધારે આજે કરી રહ્યો છે, મેળવી રહ્યો છે, અનુભવી રહ્યો છે અને દુનિયાની સાથે ચાલવાના પ્રયત્નો કરી રહ્યો છે તેમ છતાં માનસિક રીતે હજુ ઘણાં પાછળ છે.હજી સુધી તેના મનમાં ઘર કરી ગયેલા ખોટા વિચારો,ખોટી માન્યતાને વળગી રહ્યો છે.
આજનો બુધ્ધિશાળી માણસ મહેનત કરી જાત મહેનતે આગળ વધવાને બદલે નસીબનું પાંદડું ફરવાની રાહ જાેવે છે અને માની લે છે કે મારા નસીબ જાેર કરે છે.એટલે વગર મહેનતે હું બેઠા બેઠા જ બધું મેળવી લઈશ, મારે કોઈ મહેનત કરવાની જરૂર નથી.
એક નાનું, સુખી અને સંસ્કારી કુટુંબ, સમય સાથે ચાલનારા આ કુટુંબનો નાનો દિકરો સુરેશ, બારમા ધોરણમાં અભ્યાસ કરતો ભણવામાં પણ સારો તેને બીજી બધી વસ્તુ વિના ચાલે પણ છાપા ન્યુઝ પેપર વગર ન ચાલે.સવાર પડે સૌથી પહેલાં છાપુ વાંચવા બેસી જાય, જાે કયારેક છાપુ કોઈ કારણસર મોડું આવે તો છાપાવાળા માણસ પર વરસી પડે. વિચાર કરો કે આ વિદ્યાર્થી કાગડોળે રોજ કેમ છાપાની રાહ જાેતો હશે ? છાપામાં એનાં માટે એવું તેં શું આવતું હશે ? આનો જવાબ ગોતશે તો પણ તમારા મનમાં તેનો સાચો જવાબ નહીં આવે. કેમ કે આ વાત જ કંઈક એવી છે. જાે કે ઘણા માણસો આ વિદ્યાર્થીની જેમ છાપાની રાહ જાેતા બેઠા હોય છે.
બારમા ધોરણમાં અભ્યાસ કરતો સુરેશ છેલ્લા છ આઠ મહીનાથી છાપામાં આવતી રાશી મુજબની ભવિષ્યવાણી વાંચવાનો શોખીન થઈ ગયો હતો એટલે સવાર પડે છાપું આવે એટલે તે રાશી ભવિષ્યનું પાનું ખોલી તેનો દિવસ કેવો જશે, શું કરવું, શું ન કરવું, શેનાથી દુર રહેવું, વિગેરે માહિતીઓ મેળવી લેતો. નિયમિત આ કોલમ વાંચતા, વાંચતા, સુરેશભાઈનો આ શોખ વધુ રંગ પકડવા લાગ્યો. પહેલા તો તેઓ માત્ર વાંચવા ખાતર જ વાંચતા, પણ ધીરે ધીરે તેમાં લખેલી દરેક વાતો વિશે વિચારતા આમ કરતાં કરતાં હવે તેમનામાં એટલું બધું પરિવર્તન આવી ગયું કે છાપામાં લખેલા રાખી ભવિષ્યમાં લખેલ દરેક વાતો મુજબ જ કામ કરતા. તેમનો આ વિષયનો રસ અને વિશ્વાસ ખુબ વધી ગયા હતા એટલે તેઓ છાપામાં આપેલ માર્ગદર્શન અને સલાહ સુચના પ્રમાણે જ આગળ વધતા, જેને હિસાબે તેમનો અભ્યાસ અનિયમિત અને નબળો થવા લાગ્યો. તેમની પરીક્ષાના પરિણામો ખુબ જ નબળા થવા લાગ્યા. પરીક્ષાના પરિણામો નબળા થતા જતા હતા. જેને લીધે તેમની ભણવાની રૂચિ ઓછી થવા લાગી, હતાશા અને ઉદાસીનતા વધવા લાગી. બોર્ડની પરીક્ષા દોઢ મહીના પછી હતી. માટે કેવી રીતે વરસ બચાવવું ? એ પણ મોટી સમસ્યા હતી. સુરેશભાઈના ફેમેલી ડૉકટરની દવા શરૂ કરતાં તેમનું શારીરિક સ્વાસ્થ્ય કથળતું અટકયું, પણ તેમની મનોદશામાં કોઈ ખાસ સુધારો નહોતો. તેવામાં અમારી સંસ્થા ‘સિકસ્થ સેન્સ રીસર્ચ એસો.એન્ડ હોલીસ્ટીક મેડીસીન’ મુંબઈ તરફથી વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતા ‘પરીક્ષાની અંતિમ તબક્કાની તૈયારી’ ના માર્ગદર્શક પ્રવચનો જેમાં અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થીઓને પડતી તમામ મુશ્કેલીઓને આવરી લઈ તે દરેક મુશ્કેલીઓ દુર કરવાના સરળ રસ્તાઓ જેના થકી ઓછા સમયમાં વધુ અભ્યાસ કરી સારા માર્કસ લાવી શકાય તે વિશેની માહિતી છાપા (સમાચાર પત્ર) માં વાંચી સુરેશભાઈના પિતાશ્રીએ અમારો સંપર્ક કર્યો.
નક્કી કરેલા સમય મુજબ સુરેશભાઈ અને તેમના માતા પિતા અમારે ત્યાં આવ્યા, સુરેશભાઈની મન સ્થિતિ વીશે વાતો કરતાં જણાવ્યું કે તે આખો દિવસ સુનમુન બેસી રહે છે. ત્યાર પછી સુરેશભાઈ સાથે થોડી વાતો કરતાં જણાયું કે સુરેશભાઈ પણ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા ઈચ્છે છે. એટલે તેમણે સહકાર આપવાની તૈયારી દાખવી.
‘હીપ્નોથેરાપી’ આ વિષય તેમને માટે નવો હતો એટલે તે સર્વેને હીપ્નોટીઝમ જે સુચનાઓ પર આધારીત મનોવિજ્ઞાન છે તે વિશેની માહિતીઓ આપતા ‘હીપ્નોથેરાપી’ પરનો તેમનો વિશ્વાસ વધી ગયો અને સૌની સંમતિથી સુરેશભાઈની સારવાર શરૂ કરવામાં આવી.
સુરેશભાઈ હવે ખુલીને વાત કરતાં જાણવા મળ્યું કે તેમની રાશી મુજબનો ફળાદેશ જે છાપામાં આવે છે તે તેમને ફળતો નથી. તેથી તેઓ પોતાની જાતને અનલક્કી છે. બુંદીયાળ છે તેવું મનોમન સમજવા લાગ્યા. વધુમાં તેઓ માનતા કે તેમનું નસીબ પણ ખરાબ છે જે તેમને આગળ વધતા રોકે છે. સુચનાઓ દ્વારા તેમનામાં પરિવર્તન લાવી એટલે કે હકારાત્મક અભિગમ પોઝીટીવ એપ્રોચ લાવી તેમને સમજાવવામાં આવ્યું કે જન્મનો સમય લખવામાં કે જાેવામાં જાે થોડો ઘણો ફરક હોય તો પણ આવું બની શકે. માટે આ બાબત પર ધ્યાન આપવાને બદલે જાે યોગ્ય મહેનત, પરિશ્રમ કરવામાં આવે તો તમે તમારૂં ભવિષ્ય સુધારી શકો છો. હીપ્નોટીકમ ટ્રાન્સ દરમ્યાન તેમને આપવામાં આવતી પોઝીટીવ સુચનાઓ પોસ્ટ હીપ્નોટીક સજેશનો દ્વારા તેમનો આત્મવિશ્વાસ વધારી ભણવા માટેની પદ્ધતિ સમજાવી તેમને ભણવાનું શરૂ કરી દેવા જણાવ્યું. ધીમે ધીમે સુરેશભાઈમાં હવે પરીવર્તન આવતું. ફળ સ્વરૂપ હવે તે પોતાની મેળે અભ્યાસ કરવા લાગ્યા, અભ્યાસમાં રસ લેવા લાગ્યા,તેમના શિક્ષક તેમને જે કાંઈ પણ સમજાવતા તે બધું જ બરાબર સમજી શકતા. હવે આ બધું જ સારી રીતે યાદ રાખી શકતા. ધીમે ધીમે સુરેશભાઈ વધુ મનપુર્વક ભણવા લાગ્યા અને થોડા દિવસોની સારવાર થકી સાવ નોર્મલ થઈ ગયા અને સમજી પણ ગયા કે નસીબમાં ગમે તે લખ્યું હોય પણ પુરૂષાર્થ વગર કાંઈ મળતું નથી.
આપની આવ કોઈ સમસ્યા હોય તો વિના સંકોચે વિગતવાર લખી શકો છો. સાથે જવાબી કવર મોકલવું.
હીપ્નોથેરાપી કે હીપ્નોટીઝમ અંગે જાણકારી માટે સંપર્ક કરો.
બી.કુમાર ડૉ.કૌશલ બી. શાહ, ડૉ.જલપા બી.શાહ કન્સલ્ટીંગ ૪-પર શાંતી ભુવન, ૪૭ જુની હુનમાન ગલી , કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦ર ઈદ્બટ્ઠૈઙ્મઃ-ઙ્ઘહ્વિોદ્બટ્ઠિ જ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ. ર્ષ્ઠદ્બ, ઉઉઉ. જજટ્ઠિરદ્બ. ૈહ શ્ ઉઉઉ. હ્વ. ોદ્બટ્ઠિ.ૈહ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.