સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમના મેળા બાદ એકમથી ત્રીજ સુધી ઘોડાઓનો મેળો શરૂ થયો
સિદ્ધપુરમાં હજારો વર્ષોથી પરંપરા મુજબ આઠમ થી અગીયારસ સુધી મોખાદ મેળામાં પાટણ તેમજ ડીસાના મોઢ મોદી સમાજના સભ્યો આવી ત્રણ દિવસ સુધી ખુલ્લામાં રહી તર્પણ વિધિ તેમજ બાબરી ઉતારવાની વિધી કરે છે. જેમાં સિદ્ધપુરના માધુ પાવડીયા ધાટ પર બારસ થી પૂનમ કાર્તિક પૂનમ સુધી તર્પણનો મેળો ભરાયો હતો. જ્યારે એકમથી ત્રીજ સુધી નદીના સામા પટ પર થળીના મઠ પાસેના ગ્રાઉન્ડમાં ઘોડાનો મેળો શરૂ થયો છે જ્યારે નદીમાં ઊંટોનો મેળો ભરાય છે. જેમાં એકમે ઘોડાઓનું પ્રદર્શન તેમજ લે વેચ કરવા માટે લોકો સરસ્વતી નદીના સામે કિનારે થળીના મઠ પાસે આવેલ ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા. જેમાં 35 જેટલા લોકો પોતાના ઘોડાઓ લઈને લે વેચ તેમજ પ્રદર્શન માટે આવ્યા હતા. જેમાં દેશી,મારવાડી,કાઠીયાવાડી,રાજસ્થાની તેમજ પંજાબી ઘોડાઓ લે-વેચ તેમજ પ્રદર્શન માટે આવ્યા છે. જેઓ દર વર્ષે આવે છે અને પોતાની સારી નસલના ઘોડાઓનું પ્રદર્શન કરે છે.આ સિવાય સારી નસલના ઘોડાઓ જુદાજુદા કરતબો તેમજ ડાન્સ કરીને પોતાની કળા દેખાડતા હોય છે.