ભાદરવી પૂનમના મેળામાં ફરજ ઉપર ન આવનાર હોમગાર્ડ જવાનો સામે કાર્યવાહી થશે

યાત્રાધામ અંબાજીમાં આગામી તા.07/09/2019થી તા.14/09/2019 સુધી ભાદરવી પૂનમનો મહા મેળો યોજાનાર છે.જેના ભાગરૂપે પાલનપુર હોમગાર્ડના તમામ સભ્યોને આ મહામેળામાં બંદોબસ્ત માટે ફરજ સોપવામાં આવનાર છે.જે હોમગાર્ડ જવાન સમયસર બે દિવસમાં હોમગાર્ડ કચેરીનો સંર્પક કરી પોતાની ફરજ ક્યા છે.તે અંગેની માહીતી મેળવી લેવાની રહેશે અને જો હોમગાર્ડ સભ્ય ભરજ ઉપર નહી આવે તેમજ ફરજમાં બેદરકારી દાખવશે તો તેની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે તેમ પાલનપુર ઓફીસર કમાન્ડીંગ પ્રસાંતભાઇ ગૌસ્વામીએ જણાવ્યુ હતુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.