ભુક્કા બોલાવશે વરસાદ, ત્રણ દિવસનું રેડ એલર્ટ જાહેર કરાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, બંગાળની ખાડીમાંથી બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન મોચા ભારતના દરિયાકાંઠાના વિસ્તારો અને બંદરોની ચિંતા વધારી રહ્યું છે. દેશના હવામાન વિભાગે તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. તોફાનની ચેતવણી ચારથી વધારીને આઠ કરવામાં આવી છે. આ ચેતવણી દેશના ત્રણ બંદરો અને ૧૨ જિલ્લાઓ માટે મોટા જોખમની નિશાની છે. ત્રણ બંદરો ચટ્ટોગ્રામ, કોક્સ બજાર અને પાયરા છે જ્યાં સાવચેત રહેવા માટે કડક ચેતવણી જારી કરવામાં આવી છે.

કોક્સ બજાર, ચટ્ટોગ્રામ, ફેની, નોઆખલી, લક્ષ્મીપુર, ચાંદપુર, બરીશાલ, ભોલા, પટુઆખલી, ઝલકટી, પીરોજપુર અને બરગુના જિલ્લાઓ પણ ગ્રેટ ડેન્જર સિગ્નલ નંબર ૮ હેઠળ આવશે. મોંગલા દરિયાઈ બંદરને શુક્રવારે બપોરથી લોકલ વોર્િંનગ સિગ્નલ નંબર ૪ દર્શાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના હવામાન વિભાગે શુક્રવારે રાત્રે એક વિશેષ બુલેટિનમાં જણાવ્યું હતું કે વાવાઝોડાના કેન્દ્રની ૭૪ કિમીની અંદર પવનની મહત્તમ સતત ગતિ લગભગ ૧૪૦ કિમી પ્રતિ કલાકની હતી,

જે વધીને ૧૬૦ કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. તે વધુ તીવ્ર બને અને રવિવારે ભારે વરસાદ આવે તેવી શકયતા છે. વાવાઝોડું પોર્ટ બ્લેરના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં લગભગ ૫૨૦ કિમી, કોક્સ બજાર (બાંગ્લાદેશ) ના ૧૦૧૦ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને સિત્તવે (મ્યાનમાર) ના ૯૩૦ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું. વાવાઝોડું બાંગ્લાદેશ તરફ વળ્યું હોવા છતાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ સંદર્ભે જારી કરાયેલી ચેતવણી પાછી ખેંચી નથી.

દરમિયાન, હવામાન વિભાગ કોલકાતાએ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન મોચાને ધ્યાનમાં રાખીને માછીમારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ૈંસ્ડ્ઢએ કહ્યું છે કે મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું રચાયું છે. બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે તેની હિલચાલને કારણે, માછીમારોને ૧૨ મે થી ૧૪ મે સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. હવામાનની સ્થિતિની વાત કરીએ તો તેની અસર પૂર્વોત્તરના રાજ્યોમાં જોવા મળશે. શનિવારે (૧૩ મે) ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે.

રવિવારે (૧૪ મે) નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગ્દડ્ઢઇહ્લએ ૮ ટીમો તૈનાત કરી છે, જ્યારે ૨૦૦ બચાવકર્તાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ ૧૦૦ બચાવકર્તાઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.IMDએ માછીમારો, જહાજો, બોટ અને ટ્રોલર્સને રવિવાર સુધી મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી, ઉત્તર આંદામાન સમુદ્રમાં સાહસ ન કરવા જણાવ્યું છે. ઉપરાંત, બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં જતા લોકોને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. અગાઉ, ભારતીય કોસ્ટ ગાર્ડે પણ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપતા ચેતવણી જારી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.