![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/રેલ્વેમાં-થી-નીચે-હેડ.jpg)
રેલ્વેમાં થી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત તો ધાખા ગામના પરણિત યુવકે રેલ્વે નીચે પડતું મૂકી કરી આત્મહત્યા
ધાનેરા ટ્રેન અકસ્માતમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત થયું હતું ધાનેરા તાલુકામાં બે ઘટના મા બે વ્યક્તિઓ ના મોત થયા છે. ગત રોજ ધાનેરા તાલુકાના માલોત્રા થી ધાનેરા તરફ આવતા રેલ માર્ગ પર ધાખા ગામનાં પરણિત યુવક કે ટ્રેન આગળ પડતું મૂકી મોતને વહાલું કર્યું છે. ધાનેરા તાલુકાના ધાખા ગામે રહેતા 34 વર્ષ નાં રમેશભાઈ ગોકલાભાઈ પટેલ ગત રોજ પોતાના ઘરે થી નીકળ્યા હતા. અને ધાનેરા રેલ્વે સ્ટેશન નજીક રેલમાર્ગ પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા પરિવાર મા આઘાત પડ્યો છે.પરણિત યુવકે અચાનક અગમ્ય કારણોસર મોત ને વહાલું કર્યું છે.આ મામલે રેલ્વે પોલીસ એ મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.ક્યાં કારણો સર યુવકે આત્મ હત્યા કરી કારણ હજુ અકબંધ છે.
વધુ એક વૃદ્ધ મહિલા ટ્રેન માંથી પડી જતા વૃદ્ધ નું મોત થયું છે.મૂળ સાંચોર ગામ ના 67 વર્ષ ના અરૂણા બેન ઘનશ્યામ ભાઈ મહેશ્વરી જાલોર થી ધાનેરા તરફ ટ્રેન મા સવાર થઈ આવી રહ્યા હતા.જો કે વૃદ્ધ મહિલા એ ટ્રેન નાં દરવાજા નજીક આવતા તેઓ જાડી ગામ ની સીમ નજીક ચાલુ ટ્રેન માંથી નીચે પડી જતાં તેમનું ઘટના સ્થળે કરૂણ મોત થયું છે.આ મામલે ધાનેરા પોલીસ એ અકસ્માત ની ફરિયાદ લઈ મૃતક મહિલા ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ જવામાં આવ્યો હતો.અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવાર ને સોંપવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકામાં બે દિવસ દરમિયાન અલગ અલગ બનાવમાં બે વ્યક્તિઓ ના મોત થયા છે.