રાજા મહારાજા વિશે રાહુલ ગાંધી ના નિવેદનને પાટણ ક્ષત્રિય આગેવાનો એ વખોડી કાળા વાવટા ફરકાવ્યા

પાટણ
પાટણ

પોલીસે ક્ષત્રિય સમાજના 12 આગેવાનોની અટક કરી રાહુલ ગાંધીના કાર્યક્રમ બાદ તમામને મુક્ત કર્યા: પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના  ચૂંટણી પ્રચાર અર્થે પ્રગતિ મેદાન ખાતે સોમવારે આયોજિત ન્યાય સંકલ્પ સભાને સંબોધિત કરવા પાટણ ખાતે પધારેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી નો ક્ષત્રિય સમાજના  આગેવાનો એ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદશિર્ત કરી રાહુલ ગાંધી એ રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યો હતો.

પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનો ટી.બી ત્રણ રસ્તા ખાતે કાળાવાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરતા  રાજપૂત ક્ષત્રિય સમાજના 12 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.અને રાહુલ ગાંધી ના કાર્યક્રમ ના સમાપન બાદ તમામ આગેવાનોને મુક્ત કરવામાં આવ્યાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.