પાટણ શહેરના સિધ્ધી સરોવરમાં વધુ એક યુવાને મોત ની છલાંગ લગાવી જીવન લીલા સંકેલી

પાટણ
પાટણ

સિધ્ધી સરોવરમાં બનતાં આત્મ હત્યા ના  બનાવો અટકાવવા પાલિકા યોગ્ય કાયૅવાહી હાથ ધરે: પાટણ શહેરના સિધ્ધી સરોવર મા અવાર નવાર જિંદગીથી નાસીપાસ બનેલા લોકો મોતની છલાંગ લગાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક આત્મહત્યા નો બનાવ સિધ્ધી સરોવર મા પટ્ટણી યુવાનની મોતની છલાંગ થી સોમવારે પ્રકાશ મા આવવા પામ્યો છે.

આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના ભઠ્ઠીવાડા ખાતે રહેતા પટ્ટણી સમાજના યુવાન રાજ સોમાભાઈએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ બની શહેરના સિધ્ધી સરોવર મા મોતની છલાંગ લગાવતાં અને બનાવની જાણ આ વિસ્તારના નગર સેવક દેવચંદભાઈ પટેલ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાલિકાની ફાયર વિભાગ ની ટીમઅને તરવૈયાઓની મદદથી પટ્ટણી યુવાનની લાશને બહાર કાઢી હતી.

તો આ બનાવ ને પગલે પોલીસે પણ ધટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી. પાટણ શહેરના સિધ્ધી સરોવર માથી પાટણ શહેરના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હોય ત્યારે અવાર-નવાર સિધ્ધી સરોવર મા બનતાં આત્મ હત્યા ના બનાવો અટકાવવા પાલિકા તંત્ર દ્વારા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.