પાલનપુર માનસરોવર બ્રિજ પર બે રિક્ષાઓ સામસામે અથડાતા બે વ્યક્તિને ઇજા

Other
Other

ઈજાગ્રસ્તને પાલનપુર ની સિવિલ હોસ્પિટલ બાદ મહેસાણા સારવાર માટે ખસેડાયા: પાલનપુર માનસરોવર બ્રિજ પર રવિવારે રાત્રે બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે પાલનપુર માનસરોવર બ્રિજ પર રવિવારે મોડી રાત્રે બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી. જેથી આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને 108 ને જાણ કરવામાં આવ્યું હતી. જેથી 108 ની ટીમઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મોદી શીવાભાઈને વધુ ઇજાઓ થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મોનુંભાઇ ગુપ્તાએ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.