![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઐઠોર-રોડ-પર-પેચવર્ક-આડેધડ-hed.jpg)
ઐઠોર રોડ પર પેચવર્ક આડેધડ કરાતા દર્શનાર્થીઓ ત્રાહિમામ : રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉંઝા ખાતે આવેલ પાટીદારોની કુળદેવી જગતજનની માં ઉમિયા અને ઉંઝા નજીક આવેલ ઐઠોર ગણેશજીનું મંદિર આવેલું છે. બંને યાત્રાધામો વચ્ચે માત્ર ચારથી પાંચ કિલોમીટરનું અંતર છે. શ્રદ્ધાળુઓઆ બંને સુપ્રસિધ્ધિ યાત્રાધામોની અવશ્ય મુલાકાત લે છે. આ બંને યાત્રાધામો વચ્ચે જવા આવવાનો માર્ગ દર્શનાર્થીઓ માટે સાનુકૂળ રહે તે અત્યંત જરૂરી છે.
પરંતુ દુઃખદ એ બાબતે છે કે, છેલ્લા કેટલાક આ રોડ પર મોટા ખાડા અને તેના પર થયેલું પેચ વર્ક આડેધડ હોવાને કારણે દર્શનાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી ઊંઝા અને ઐઠોર વચ્ચેનો હાઇવે રોડ પર દર્શનાર્થીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડને દુરસ્ત કરવા માટે આશિષભાઈ પટેલ દ્વારા સ્થાનિક લેવલે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત ધ્યાને ન લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. અરજી કર્યા ને બે મહિના જેટલો સમય વિતવા છતાં પરિસ્થિતી ઠેરની ઠેર રહેવા પામી છે.