પાલનપુરના સોનગઢ નજીક આવેલા અનાજના ગોડાઉનમાં આગ લાગતા અનાજનો જથ્થો બળીને ખાખ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના સોનગઢ નજીક મલાણા રોડ પર આવેલ અનાજના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગોડાઉનમાં પડેલ અનાજ બળીને ખાખ થઇ ગયું હતું. બનાવના પગલે પાલનપુર ફાયર ફાઈટરની ટીમેં ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ગઈકાલે વાવ સુઈગામ રોડ ઉપર એક ઘસાચારા ભરેલા પીકપ ડાલામાં અચાનક આગ લાગતા પીકપ ડાલામાં ભરેલું ઘાસ સંપૂર્ણ બળીને ખાત થઈ ગયું હતું. તો આજે પાલનપુર સોનગઢ નજીક મલાણા રોડ પર આવેલ અનાજના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગ કાબુમાં ના આવતા લોકો દ્વારા પાલનપુર ફાયર વિભાગને જાણકારી હતી પાલનપુર ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક કટના સ્થળ પર દોડી પહોંચી અનાજના ગોડાઉનમાં લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર આબુ મેળવ્યો હતો પરંતુ આગના કારણે ગોડાઉન પડેલ અનાજ બળીને ખાખ થઈ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.