![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/કુદરતની-માર-આગળ-ખેડૂતો-હેડ.jpg)
કુદરતની માર આગળ ખેડૂતો અને રહીશો સરકાર સામે આસ : ખેડૂતોના પાક અને ઘરોને નુકસાન
કમોસમી માવઠું અને વાવાઝોડાને લઇ દાંતા તાલુકામાં ખેડૂતોના પાક અને ઘરોને નુકસાન: જે પ્રકારે હવામાન વિભાગે કમોસમી વરસાદને લઇ આગાઈ કરાઈ હતી. તેના કારણે રાજ્યના અનેકો જિલ્લાઓમાં કમોસમી માવઠાએ લોકોના ધરો, ખેતીની સાથે સાથે અનેકો હોર્ડીંગને પણ ભારી નુકસાન થવા ના દૃશ્યો સામે આવ્યા હતા. સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદી માહોલ અને વાવાઝોડાથી ખેડૂતોના પાક અને ઘરોને નુકસાન પહોચ્યું હતું. ભર ઉનાળે કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ કમોસમી વરસાદી માહોલ સતત ત્રણ દિવસથી સર્જાઈ રહ્યું છે. આ કમોસમી વરસાદી માવઠા અને વાવાઝોડાને લઇ દાંતા તાલુકામાં અનેકો જગ્યાએ ખેડૂતોના પાકને અસર પડી છે. તેમના ખેતરમાં ઉભા પાક આડા પડી ગયા છે. તો સાથે સાથે દાંતા તાલુકાના સાંડોસી ગામે 5થી 6 ઘરોને પણ ભારી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ માવઠા અને વાવાઝોડાને લઇ તેમના ઘરોના પતરા ઉડી ને તૂટી ભાંગ્યા હતા. હવે આ રહીશો પોતાના ઘરોને લઇ ચિંતામાં મુકાયા છે. ખેતી અને ઘરોને ભારે નુકસાન થતા આ લોકો કુદરતની આગળ હારી ગયા છે.
કમોસમી વરસાદ અને કુદરતની માર આગળ ખેડૂતો અને રહીશો સરકાર સામે આસ લગાવી જોઈ રહ્યા છે. કમોસમી માવઠા અને વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈ સરકાર વળતર આપે તેવી માંગણી કરી રહ્યા છે. જેથી ફરી એકવાર પોતાની જિંદગીની શરૂઆત કરી અને પરિવારનું ભરણપોષણ કરી શકે. કમોસમી વરસાદથી થયેલી હોનારત બાદ ખેડૂતો નિરાશ બેઠા છે. હવે સરકાર કોઈ યોગ્ય પગલાં ભરે તેની રાહ જોઈ રહ્યા છે.