સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવા ૬ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના નવા ૬ કેસ નોંધાયા છે. હિંમતનગરના બે મહિલા તથા લીખીના બે પુરૂષ, પ્રાંતિજના તાલુકાના સીતવાડાના એક પુરૂષ, ખેડબ્રહ્મા તાલુકાના વરતોલના યુવકનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ ૩૪ કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવના દર્દીના સંપર્કમાં આવેલા અને શંકાસ્પદ લોકોના સેમ્પલના રીપોર્ટ શનિવારે મોડી સાંજે બે તથા રવિવારે નવા ચાર પોઝીટીવ રીપોર્ટ સામે આવ્યા હતા. જેમાં કુલ ૬ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં હિંમતનગર તાલુકાના લીખીના બે પુરૂષ જેમાં એક ૪૭ વર્ષિય પુરૂષ અને ૪૦ વર્ષિય પુરૂષ, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય મહિલા તથા કોવિડ-૧૯ અંતર્ગત સિવિલ હોસ્પિટલ હિંમતનગરના આઇસોલેશન વોર્ડમાં કોરોના દર્દીઓની સેવા કરતા ૪૫ વર્ષિય ઇન્ચાર્જ નર્સનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો., ખેડબ્રહ્મા તાલુકાના વરતોલના ૩૦ વર્ષિય યુવક, તેમજ પ્રાંતિજના સીતવાડાના