મહિનાના અંતમા કોરોનાની વર્તમાન લહેર ખત્મ થઇ જશે
કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે છે. ત્યારે ચિકિત્સા વિશેષજ્ઞોનુ માનવુ છે કે કેરળમાં સંક્રમણ ઘટતા કેસોની સંખ્યા ઘટવા લાગી છે. તેથી આ મહિનાનાં અંત સુધીમાં નવા સંક્રમણમાં વધારે ઘટાડો થઈ શકે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેમા સંક્રમણ ઘટીને 6 ટકાથી પણ નીચે આવી શકે છે. આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 4 દિવસમાં સતત નવા સંક્રમણ 30,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. આમ સંક્રમણમાં ઘટાડાનું કારણ કેરળમાં કેસો ઘટવા છે. જેમા છેલ્લા એક અઠવાડીયામાં કેરળમાં નવા કેસોમાં 25 ટકાનો ઘટાડો થયો છે. જેમા કર્ણાટક,આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર સહીતનાં રાજયોમા નવા કેસો ઘટી રહ્યા છે, જ્યારે પૂર્વોતરનાં મોટાભાગનાં રાજયોમા સ્થિતિ સુધરી છે. આ સિવાય મહિનાના અંત સુધીમાં નવા સંક્રમણ 10 હજારથી ઓછા થઈ શકે છે. જેને પગલે બીજી લહેર પૂર્ણ જાહેર કરી દેવામાં આવશે.