નેપાળમાં ભૂકંપ મૃતકોને બે મિનિટનું મૌન પાળી વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલી આપી

સાબરકાંઠા
સાબરકાંઠા

નેપાળ ભૂકંપ આવ્યા બાદ તેના આચકા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં આવ્યા હતા. જેને લઈને નેપાળમાં જાન હાનિ થઈ છે. મૃતકોને હિંમતનગરમાં વિધાર્થીઓએ આજે શ્રધ્ધાંજલી આપી હતી.નેપાળમાં ભૂકંપના આંચકા આવતા કેટલાક લોકો મોતને ભેટ્યા હતા. જેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સુંદરગઢમાં આવેલી ગ્લોબસ CBSEસ્કૂલમાં બાળકો દ્વારા શનિવારે બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.


નેપાળમાં ગત રાત્રે આવેલા ભૂકંપના કારણે કેટલા 141થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજી પણ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપના આંચકાની અસર ભારત દેશના દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશમાં થઈ હતી. જેને લઈને લોકો બહાર દોડી આવ્યા હતા. તો નેપાળમાં ભૂકંપને લઈને મૃતકોને બાળકોએ બેનરો સાથે બે મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી આપી હતી સાથે શિક્ષકો પણ જોડાયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.