ડીસામાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાના દર્દીનું મોત, ભુવાએ કરી વિધિ અને……
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું છે જેમાં કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ પોતાના ગુરુને બોલાવી વિધિ કરાવ્યા બાદ ઓક્સિઝન લેવલ ઘટી જતાં દર્દીનું મોત નીપજયું હતું જોકે 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશ્યલ વાયરલ વિડીયો અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે