ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને જન્મદિવસ નિમિતે વિરાટ કોહલી તેમજ બીસીસીઆઇએ શુભકામના પાઠવી
ભારતીય ટેસ્ટ ટીમના નંબર 3 ચેતેશ્વર પૂજારા આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.ત્યારે સૌરાષ્ટ્રના સાવજ અને ભારતીય ટીમની વોલ 2.0 તરીકે પણ ઓળખાય છે.તેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં 211 બોલ રમીને 26.54ની સ્ટ્રાઇક રેટથી 56 રન કર્યા હતા.આમ પૂજારાની આ ઇનિંગ્સ મેચના પરિણામમાં મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ હતી.જેમાં ભારતે 328 રનનો ટાર્ગેટ 7 વિકેટે ચેઝ કર્યો અને સતત બીજીવખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.આમ મેચ પછી ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ચેતેશ્વર તું રિયલ વોરિયર છો.
આમ ચેતેશ્વર પૂજારાને કેપ્ટન વિરાટ કોહલી,બીસીસીઆઇ સહિત આખી ક્રિકેટિંગ ફ્રેટર્નીટીએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડે લખ્યું હતું કે,ભારતીય ટીમ માટે શરીર પર બોલ ખાઈ પિચ પર સમય પસાર કરે છે.આમ તેઓએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 81 ટેસ્ટમાં 13,572 બોલનો સામનો કરી 18 સદી સહિત 6,111 ટેસ્ટ રન કરનાર ભારતના મિસ્ટર ડિપેન્ડેબલ બન્યા છે.