મુંબઈની લોકલ ટ્રેનમાં રસીના બે ડોઝ લેનાર વ્યક્તિને મુસાફરીની છુટ અપાશે
મુંબઈ કોર્પોરેશન આગામી 15 જુલાઈની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યુ છે.જેમાં મુંબઈની લોકલ ટ્રેન સેવા શરૂ કરવાની સાથે બીજા પ્રતિબંધોમાં પણ રાહત આપવા અંગે ચર્ચાવિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.જે અંતર્ગત કોરોના વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન સેવા શરૂ થઈ શકે છે.આવા લોકોને ઓફિસ કે બીજા જગ્યાએ જવા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી શકે છે.વર્તમાન સમયમાં મુંબઈમાં કોરોના નિયંત્રણમાં છે.આમ છતા કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને જોતા સરકાર પ્રતિબંધોમાં ઢીલ મુકતા ખચકાઈ રહી છે.મુંબઈમાં લોકલ ટ્રેન અને બીજી સેવાઓ આમ જનતા માટે હજીપણ બંધ છે.ત્યારે ટ્રેન સેવાના ઉપયોગમાં છુટછાટ આપવા માટે સરકાર વિચારી રહી છે.રાજ્યમાં 12 લાખ જેટલા રહેવાસીને કોરોના વેકસીનના બે ડોઝ અપાઈ ચૂક્યા છે,જ્યારે 46 લાખ લોકોને વેક્સીનનો સિંગલ ડોઝ મળેલો છે.આમ મુંબઈમાં લગભગ 58 લાખ જેટલા લોકોએ રસીના એક કે બે ડોઝ લીધા છે.