સરકાર – સ્કૂલ સંચાલકો મળીને ઉકેલ લાવે : હાઈકોર્ટ
અમદાવાદ : ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા જ રાજ્યની ખાનગી સ્કૂલોને ફી માફ કરવા આદેશ આપ્યો હતો. સ્કૂલો રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ અંગે સ્કૂલ સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. તેમજ ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કરી દીધો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સ્વ ર્નિભર શાળા સંચાલકો તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે. કોર્ટે કહ્ય્, વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કહ્ય્, અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો, પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિયેશન માટે તૈયાર નહોતા. કોર્ટે કહ્ય્, શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને. અમે જરૂરી નિર્દેશ આપીશું.