ધાનેરા પંથકમાં ‘સિંચાઈના પાણીની’ પ્રથમ પ્રાથમિક્તા : ભગવાનભાઈ પટેલ
(રખેવાળ ન્યૂઝ)ધાનેરા, ધાનેરા પંથકમાં ‘સિંચાઈના પાણીની’ પ્રથમ પ્રાથમિક્તા આપવામાં આવશે તેમ ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ પટેલે જણાવ્યું છે. ધાનેરા ૯ વિધાનસભાના ઉમેદવાર ભગવાનદાસ પટેલ તથા સુરેશભાઈ પટેલ ધાનેરા તાલુકાના કુંડી, મોડલ, અનાપુર છોટા, ખાંગણ, રામપૂરા મોટા, વિરોલ, વાછડાલ, ધનપૂર ખેડા વિગેરે ગામોની સર્વે કોમ તરફથી આવકાર મળી રહ્યા છે. લોકોની મુખ્ય માંગ સિંચાઈ માટે પાણીની હતી જે ચૂંટાઈ આવ્યા બાદ સૌ પ્રથમ પાણી માટે કામ કરીશું તેવી ખાત્રી ભગવાનદાસે આપી હતી. જેથી લોકોને તેમને બહુમતીથી જીતે તે માટે સમર્થન કર્યુ હતું.