ગાંધીનગરમા મુખ્યમંત્રીએ રૂ.11,291 કરોડના રોકાણો માટે એમઓયુ કર્યા
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર 2022માં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જાહેર કરેલી ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોગદાન આપી રહી છે.જેના અન્વયે રાજ્યમાં જુદાજુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો તેમજ રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એમઓયુ કરવાનો ઉપક્રમ યોજાય છે.જેના છ તબક્કાઓ 13 ફેબ્રુઆરીથી 27 માર્ચ દરમ્યાન પૂર્ણ થયા છે.ત્યારે 59 જેટલા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ત્યારે આગામી સમયથી આ ઉદ્યોગો શરૂ થવાથી 65,431 જેટલા લોકોને રોજગાર મળતા થશે.જેમાં કેમિકલ ક્ષેત્રે 40 હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે 6 હજાર,રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 5 હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે.જેમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની,યુ.એસ.એ,યુ.કે,કુવૈત,મલેશિયા સહિતના દેશોએ પણ આ પહેલા એમઓયુ કરેલા છે.