પાટણમાં ભક્તિસભર માહોલમાં ભગવાન પરશુરામજીની રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

પાટણ
પાટણ

પાટણ શહેરના જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજી ની શુક્રવારે જન્મ જયંતી મહોત્સવ નિમિતે પાટણ શહેર માંથી શ્રી પરશુરામ ભગવાનની 53મી રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી પરશુરામજી ની આરતી ની ઉછામણી બોલવામાં આવી હતી. જેના યજમાન પરિવાર દ્વારા આરતી ઉતરવાનો લ્હાવો લઈ ભગવાન પરશુરામજી ની આરતી ઉતારી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનોએ ભગવાન શ્રી પરશુરામજી ની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે પરશુરામ ભગવાન જન્મ જયંતી મહોત્સવ સમિતિના કન્વીનર અને પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિત જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને પરશુરામ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ ના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાન પરશુરામજી ની પ્રતિમા અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બેન્ડના ભક્તિ સભર સુરો અને ડીજેના તાલ વચ્ચે પ્રસ્થાન પામેલી ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ઠેર ઠેર પાટણના ધર્મ પ્રેમી નગરજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તો પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં ભગવાન પરશુરામજી ની રથયાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. શુક્રવારે ભગવાન શ્રી પરશુરામની 53 મી રથયાત્રા સવારે જગન્નાથજી ભગવાનના મંદિર પરિસરમાંથી નીકળી રોકડીયા ગેટ ,હિંગળાચાચર ,ચતુર્ભુજ બાગ જુનાગંજ બજાર, હિંગળાચાચરથી મુખ્ય માર્ગ ઉપરથી ,ઘીવટા નાકા થી બહુચર માતા મંદિર – ભંડારીપાડા થઈને નિજ મંદિરમાં પરત ફરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.