![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-ખાતે-કોંગ્રેસ-hed.jpg)
પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ
નિર્વાણ તિથિએ સ્વ.રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરી ભાવભીના શ્રદ્ધાસુમન
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત રત્ન સ્વ.રાજીવ ગાંધીની નિર્વાણ તિથિ નિમિત્તે સ્વ.રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. તથા તેમની સિદ્ધિઓ અને દેશને આપેલ યોગદાનને યાદ કર્યા હતા.
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ ભારત દેશના વિકાસમાં સિંહ ફાળો આપેલ છે. યુવાનોને 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપનાર 21મી સદીના પ્રણેતા, ટેલિકોમ- કોમ્પ્યુટર ક્રાંતિના જનક સ્વ. રાજીવ ગાંધીની આજે નિર્વાણ તિથિ છે. ત્યારે પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર, ઉપપ્રમુખ મુકેશ ચૌહાણ, વિશાલ દવે સહિત કોંગ્રેસના ખૂબ જ પાંખી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ સ્વ. રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.