બનાસકાંઠામાં પશુઓઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પશુપાલન વિભાગ સક્રિય
રાજ્યમાં પશુઓનુ આરોગ્ય સચવાય તે માટે પશુપાલન વિભાગ કટિબદ્ધ છે. રાજ્ય સરકારના પશુપાલન અધિકારી અને કર્મચારીઓ અવારનવાર પશુપાલકોની મુલાકાત લેતા હોય છે. પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની અગત્યતા અંગે જાગૃતતા આવે તે માટે કેમ્પ પણ રાખતા હોય છે. જેના લીધે પશુપાલકોમાં રસીકરણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે. પશુપાલકો પણ ખરવા મોવાસા તેમજ અન્ય બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ પ્રત્યે કટિબદ્ધ બની રહ્યા છે.
નાયબ પશુપાલક નિયામકના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગની ટીમ કટિબદ્ધ છે. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામમાં ભિલેચા ઈશ્વરભાઈના ઘરની મુલાકાત લેતા તેમના ભેંસ, ગાય જેવા પ્રાણીઓમાં બીમારીના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગની ટીમ સત્વરે પહોંચીને પ્રાથમિક તપાસ કરીને યોગ્ય સારવાર એ.ડી.આઇ.ઓ. ડૉ. ડી. એમ. પટેલ અને વેટેનરી ઓફિસર દર્શનભાઇ મોંઢ દ્વારા આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ પશુપાલન અધિકારીએ પશુઓમાં જોવા મળતા રોગો તેમની સામે લેવામાં આવતા પગલાંઓ ઉપરાંત રસીકરણ પ્રત્યે જાગૃતતાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.