આઇ શ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે મહા સુદ-૮ને બુધવારે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મહાપ્રસાદ(લાપસી)નું ભાવિક ભક્તો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું. જેમાં ૭૦૦ કિલો ઘઉં,૭૦૦ કિલો ગોળ,૩૦ ડબ્બા ઘી,૨૫ કિલો દ્વાક્ષ, ૩૦ કિલો કાજુ, ૧૦ કિલો બદામ, ૧ કિલો ઇલાયચી એમ કુલ મળી લગભગ ૫૦૦૦ કિલો મહાપ્રસાદ (લાપસી) નું આયોજન ખોડીયાર માતાજીના જન્મ જયંતિ પ્રસંગે પ્રસાદ રૂપે વિતરણ કરાયું હતું. જેમાં ડીસા આજુબાજુની ધર્મપ્રેમી જનતા પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડીને મહાપ્રસાદનો લાભ લીધો હતો.