હિંમતનગર સિવિલમાં મધ્યરાત્રે દર્દીએ 5મા માળેથી બારી તોડી ઝંપલાવતાં મોત
હિંમતનગર સિવિલમાં શનિ રવિવારની મધરાતે પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સર્જીકલ વોર્ડમાં દાખલ થયેલ દર્દીએ પાંચમા માળની બારીનો કાચ તોડી નીચે ઝંપલાવતાં ચકચાર મચી જવા પામી હતી. દર્દી રૂમમાંથી બહાર નીકળી લોન્જમાં પસાર થઈ પગથિયાં ચઢી બારી સુધી પહોંચ્યો તે દરમિયાન ફરજ પર નો સ્ટાફ શું કરતો હતો તે બાબત પણ તપાસનો વિષય બની રહી છે.
પ્રાંતિજના રામપુરાના ચંપકસિંહ ભાથીસિંહ રાઠોડ (41) ગત તા.10-12-21ના રોજ સાંજે પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે આવતા હિંમતનગર સિવિલમાં પાંચમા માળે 61 નંબરના રૂમમાં દાખલ કરાયો હતો. શનિ-રવિવારની રાત્રે દોઢેક વાગ્યે રૂમમાંથી બહાર નીકળી સીડીની ગેલેરીમાં આવેલ બારી ખોલી કાચ તોડી નીચે ઝંપલાવ્યું હતું. મધ્યરાત્રે સિવિલમાં 41 વર્ષીય દર્દીએ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી હતી.