પાટણમાં રાજપૂત સમાજનો 24મો સ્નેહમિલન સમારોહ યોજાયો

પાટણ
પાટણ

વિવિધ જિલ્લાઓમાંથી નોકરી ધંધા અને વેપાર માટે પાટણ શહેરમાં આવી સ્થાયી થયેલા રાજપૂત સમાજના પરિવાર નો 24 મો પારિવારિક સ્નેહ મિલન સમારોહ રવિવારે શહેરના વાળીનાથ ચોક નજીક આવેલ દાનસિંહજી સત્યાર્થી કુમાર છાત્રાલય ખાતે યોજાયો હતો.પાટણ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર અનિલસિંહ ઝાલા ( સીતાપૂર ) ના અઘ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અનિલસિંહ ઝાલાએ સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ કરાવવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો .


ડો.જયશ્રીબા રાજપૂતે પણ વર્તમાન સમયમાં બાળકો ને મોબાઈલ ના વધુ પડતા ઉપયોગના કારણે થતી આંખ સંબંધી બીમારીઓ અંગે માહિતી આપી હતી અને બાળકો મોબાઈલ કેવો ઉપયોગ કરી રહ્યા છે .તેનું ધ્યાન રાખવા અને બને ત્યાં સુધી તેનાથી દૂર રાખવા માટે તેમને પ્રેમથી સમજાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.પાટણ શહેર રાજપૂત સમાજના પારિવારિક સ્નેહ મિલન સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ રમતોમાં સારૂ પ્રદર્શન કરનાર બાળકોને તેમજ વિવિધ ક્ષેત્ર માં સિદ્ધિ મેળવી હોય તેવા સમાજ દિકરા ,દિકરીઓ ,ખાનગી કે સરકારી ક્ષેત્રમાં નવી નિમણુંક મેળવનાર , નિવૃત થનાર ,બઢતી મેળવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.