શેખ હસીનાએ ભારતને ચટગાંવ બંદર ઓફર કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતે ચીનની ચાલ નિષ્ફળ બનાવીને બાંગ્લાદેશમાં ભારે મોટો ડિપ્લોમેટિક વિજય મેળવ્યો છે.બાંગ્લાદેશે ભારતને પૂર્વોત્તરના રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાની રજૂઆત કરી છે.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ પ્રકારની રજૂઆત કરી હતી.ચટગાંવ બંદર-પોર્ટ બાંગ્લાદેશનું મુખ્ય બંદર છે.આ બંદર દ્વારા ભારત-બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે.આ ઉપરાંત આસામ,મેઘાલય,મણિપુર અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યો સાથેની કનેક્ટિવિટી પણ સુધરી જશે.આમ બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચેલા જયશંકરે શેખ હસીનાને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી તરફથી નવી દિલ્હી આવવાનું નિમંત્રણ આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.