સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવા ૧૨ કેસ નોંધાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના નવા ૧૨ કેસ નોંધાયા હતા. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઈ રહેલા પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામના ૫૦ વર્ષિય ચંદુભાઇ લાલાભાઇ રાવળે કોરોનાને માત આપતા આજે તેઓને ઘરે જવા રજા અપાઇ છે. સાથે જિલ્લામાં જુદા-જુદા વિસ્તારોમાં નવા ૧૨ કેસ સામે આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો વધુ ૧૨ કેસ સામે આવ્યો છે. જેમાં શનિવારના રોજ નવા ૧૨ કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.જેમાં પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના ૫ કેસ, અમલાની મુવાડીમાં ૧, મૌછા ૧, અને નવાપુરાનો એક કેસ આમ કુલ પ્રાંતિજ તાલુકામાં શનિવારના રોજ કુલ ૮ કેસ સામે આવ્યા જ્યારે વડાલી તાલુકાના કંજેલીનો ૧ કેસ ઇડરના બોલુન્દ્રાનો ૧ તથા તલોદના ૨ કેસ એમ જિલ્લામાં કુલ ૧૨ કેસ સામે આવ્યા હતા.
આમ અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ૭૩ દર્દી નોંધાયા છે. ૨૦ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. તેમજ કોરોના ત્રણ દર્દીનુ દુઃખદ અવસાન થયુ છે. હાલ જિલ્લાના ૫૦ દર્દી સારવાર હેઠળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.