પાટણના સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ સમર્થિત બૌદ્ધિક સંપદા જાગૃતિ પર ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 23 નવેમ્બર 2023 ના રોજ બૌદ્ધિક સંપદા જાગૃતિ પર ઓરિએન્ટેશન પ્રોગ્રામ સાથે ક્લાયમેન્ટ ચેન્જ પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 250થી વધુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.ડો. નરોત્તમ સાહૂ, સલાહકાર અને સભ્ય સચિવ, ગુજકોસ્ટ, અનુસાર “એક વિચાર સમાજમાં પરિવર્તન લાવી શકે છે અને સામાજિક વિકાસમાં નવીનતા લાવી શકે છે. 21મી સદીમાં બૌદ્ધિક સંપદા અધિકારોની નિર્ણાયક ભૂમિકા છે જે સમગ્ર વિશ્વમાં નવીનતા, રોકાણ અને આર્થિક વૃદ્ધિની દિશાને ગતિ આપશે” ડો. પૂનમ ભાર્ગવ, પ્રિન્સિપલ સાયન્ટિફિક ઑફિસર, ગુજકોસ્ટ, સોનમ સિંહ, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ, ગુજકોસ્ટ અને ડો. સુમિત શાસ્ત્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, સાયન્સ સેન્ટર પાટણના સંયુક્ત પ્રયાસથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સુમિત શાસ્ત્રીએ સહભાગીઓનો હાર્દિક સ્વાગતથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમનું સંકલન સોનમ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામમાં એક્સપર્ટ પ્રોફેસર ડો. ઉમેશ બનાકર દ્વારા બૌદ્ધિક સંપદા જાગૃતિ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમની ચર્ચાઓમાં બૌદ્ધિક સંપદાના અધિકારો, અને વર્તમાન દૃશ્યોની જાગરૂકતાને આવરી લેવામાં આવ્યાં હતા. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી ક્લાયમેન્ટ ચેન્જથી પૃથ્વી પર પડી રહેલી ભયાનક અસરો અને ભવિષ્યમાં જે મુશ્કેલીઓ ઉભી થશે અને તેને નિવારવાના ઉપાયો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અંતે સોનમ સિંહ સહભાગીઓનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમની સફળતા પૂર્વક પુર્ણાહુતી કરી હતી.