રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં પાણી છોડવા નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો રામધૂન બોલાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉંચારી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે તેમજ ખેડુતો ખેતી પર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડુતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ઉમટી પડયાં હતાં અને ઉગ્ર રજુઆતો કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઉણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનાલ પસાર થાય છે આ કેનાલ છેલ્લા ઘણા સમથી પાણી બંધ હોવાથી ઉણ માનપુરા ગામના ખેડુતો તથા આજુ બાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે. હાલ જ્યારે ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણીની અછત જોવા મળી રહી છે જો પાણીની માંગ પુરી કરવામાં નહિ આવે તો લોકસભાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉંચારી હતી.