પાટણ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ
શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય પાર્ટીઓના બેનરો, પોસ્ટરો અને હોડિગ્સો પાલિકા દ્વારા દુર કરાયા લોકસભાની ચૂંટણી 2024 ની શનિવારે બપોરે તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે.
ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલ રાજકીય પાર્ટીના પોસ્ટરો દૂર કરવાની કામગીરી પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જે કામગીરી અંતર્ગત શહેરના સ્ટેશન રોડ તેમજ અન્ય વિસ્તારોમાં 20 જેટલા રાજકીય નેતાઓના ફોટા વાળા બોર્ડ,હોર્ડિંગ, પોસ્ટર વગેરે પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હોવાનું પાલિકા ના ફરજ પરના કમૅચારીઓએ જણાવ્યું હતું.