હિન્દુ – મુસ્લીમ ધર્મ તથા સૂફી પંથમાં ઓલિયા સંત કબીરજી

પાલવના પડછાયા

પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાર |વા તે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર ||
સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફી પંથમાં જાેવા મળે છે. લોકવાયકા પ્રમાણે કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં થયો હતો.લોકલાજ ને કારણે બ્રાહ્મણીએ એ પુત્રને કાશીના લહરતારા સ્થાને ત્યજી દીધો. ત્યારે વણકર દંપતી નીરુ અને નીમાએ પાલક માતા-પિતા તરીકે કબીરનો ઉછેર કર્યો.
રામભકત સંન્યાસી રામાનંદ અને શેખ તકીને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેમના અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાય છે. ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીરપંથની સ્થાપના કરવામાં આવી હતી.
અરબી ભાષામાં કબીરનો અર્થ’મહાન’ થાય છે. કબીરદાસ ભારતનાં ભક્તિ કાવ્ય પરંપરાનાં મહાનતમ કવિઓમાં ના એક હતા. કબીરપંથ, એક ધાર્મિક સમુદાય, જે કબીરનાં
સિદ્ધાંતો અને ઉપદેશોને
પોતાની જીવન શૈલીનો આધાર માને છે, તેમના મતાનુસાર કબીરનો જન્મ ૧૩૯૮ ઈ.સ.માં થયો અને તેમનું મૃત્યુ ૧૫૧૮ ઈ.સ. માં થયું, અર્થાત કબીર અસાધારણ રુપે ૧૨૦ વર્ષ જીવ્યા હતા.સાધુ સંતોનો તો ઘરમાં જમાવડો રહેતો જ હતો. કબીર સાક્ષર ન હતાં- ‘મસિ કાગદ છૂવો નહીં, કલમ ગહી નહિં હાથ’ તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યાં, મોં થી ભાખ્યાં અને તેમના શિષ્યોએ તેને લખી લીધાં તેમના સમસ્ત વિચારોમાં રામનામનો મહિમા પ્રતિધ્વનિત થાય છે. તેઓ એક જ ઈશ્વર ને માનતા હતા અને કર્મકાંડના ઘોર વિરોધી હતા. અવતાર, મૂર્ત્તિ, રોજા, ઈદ, મસ્જિદ, મંદિર આદિને તેઓ માનતા ન હતા.
કબીરના નામથી મળેલા ગ્રંથોની સંખ્યા ભિન્ન-ભિન્ન લેખો અનુસાર ભિન્ન-ભિન્ન છે. એચ.એચ. વિલ્સન અનુસાર કબીરના નામ પર આઠ ગ્રંથ છે.બિશપ જી.એચ.વેસ્ટકૉટ કબીરના ૮૪ ગ્રંથોની સૂચી પ્રસ્તુત કરે છે તો રામદાસ ગૌડે ‘હિંદુત્વ’ માં ૭૧ પુસ્તકો ગણાવે છે.કબીરને દર્શાવતી ભારતીય ટપાલ ટિકિટ, ૧૯૫૨ કબીરની વાણીનો સંગ્રહ ‘બીજક’ ના નામ થી પ્રસિદ્ધ છે. આના ત્રણ ભાગ છે- રમૈની, સબદ અને સાખી આ પંજાબી, રાજસ્થાની, ખડ઼ી બોલી, અવધી, પૂરબી, બ્રજભાષા આદિ ઘણી ભાષાઓમાં છે. કબીર પરમાત્માને મિત્ર, માતા, પિતા અને પતિના રૂપમાં જુએ છે. આજ તો મનુષ્યના સર્વાધિક નિકટ રહે છે.
તેઓ ક્યારેક કહે છેઃ હરિમોર પિઉ, મૈં રામ કી બહુરિયા તો ક્યારેક કહે છેઃ
હરિ જનની મૈં બાલક તોરા તે સમયે હિંદૂ જનતા પર મુસ્લિમ આતંક નો કહેર છવાયેલો હતો. કબીરે પોતાના પંથને એ ઢંગથી સુનિયોજિત કર્યો જેથી મુસ્લિમ મત તરફ ઝુકેલી જનતા સહજ જ તેમની અનુયાયી બની ગઈ. તેમણે પોતાની ભાષા સરળ અને સુબોધ રાખી જેથી તે સમાન્ય માણસ સુધી પણ પહોંચી શકે. આથી બન્ને સમ્પ્રદાયોના પરસ્પર મિલનમાં સુવિધા થઈ. તેમનો પંથ મુસલમાન-સંસ્કૃતિ અને ગોભક્ષણના વિરોધી હતાં. કબીર શાંતિમય જીવનપ્રિય હતા અને તેઓ અહિંસા, સત્ય,સદાચાર આદિ ગુણોના પ્રશંસક હતાં. પોતાની સરળતા,સાધુ સ્વભાવ તથા સંત પ્રવૃત્તિના કારણે આજે વિદેશોમાં પણ તેમનો આદર થઈ રહ્યો છે.
વૃદ્ધાવસ્થામાં યશ અને કીર્ત્તિની મારે તેમને ખૂબ કષ્ટ આપ્યું. તેજ હાલતમાં તેમણે બનારસ છોડ્યું અને આત્મ નિરીક્ષણ તથા આત્મપરીક્ષણ કરવા માટે દેશના વિભિન્ન ભાગોની યાત્રાઓ કરી, આ ક્રમમાં તેઓ કાલિંજર જિલ્લાના પિથૌરાબાદ શહેરમાં પહોંચ્યા. ત્યાં રામકૃષ્ણનું નાનકડું મન્દિર હતું. ત્યાંના સંત ભગવાન ગોસ્વામીના જિજ્ઞાસુ સાધક હતાં પરંતુ તેમના તર્કોંનું હજી સુધી પૂરી રીતે સમાધાન થયું ન હતું. સંત કબીર સાથે તેમનો વિચાર-વિનિમય થયો. કબીરની એક સાખીએ તેમના મન પર ઊંડી અસર કરી.બન તે ભાગા બિહરે
પડ઼ા, કરહા અપની
બાન |કરહા બેદન કાસોં કહે, ને કરહા ને જાન ||અર્થઃવનથી ભાગેલો. બહેમાટા દ્વારા ખોદેલા ખાડામાં પડેલો હાથી પોતાની વ્યથા કોને કહે?સારાંશ એ કે ધર્મની જિજ્ઞાસાથી પ્રેરિત થઈ ભગવાન ગોસાઈ પોતાનું ઘર છોડી બાહર તો નિકળી આવે અને હરિવ્યાસી સમ્પ્રદાયના ખાડામાં પડી એકલા નિર્વાસિત થઈ અસંવાદ્ય સ્થિતિમાં પડી જાય છે.
મૂર્ત્તિ પૂજાને લક્ષ્ય કરતાં તેમણે એક સાખી હાજર કરીઃ
પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાર |વા તે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર ||
કબીરના રામ- તો અગમ છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે. કબીરના રામ ઇસ્લામના એકેશ્વર વાદી, એકસત્તાવાદી ખુદા પણ નથી. ઇસ્લામમાં ખુદા કે અલ્લાહને સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોય, પણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી.
અપિતુ આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે. તેઓ કહે છેઃ
વ્યાપક બ્રહ્મ સબ મૈં
એકૈ, ને પંડિત ને જાેગી |રાવણ-રાવ કવનસૂં કવન તેઓદ ને રોગી ||સંતૌ, ધોખા કાસૂં કહિયે ગુનમૈં નિરગુન |નિરગુનમૈં ગુન, બાટ
છાંડ઼િ ક્યૂં બહિસે
યશપાલસિંહ ટી વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.