હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 6 બાળકોનાં મોત 15થી વધુ બાળકો ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 5-6 બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે 15 બાળકો ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.

 

મહેન્દ્રગઢના કનિના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલ્લી હતી. ગુરુવારે સવારે બસ 35 બાળકો સાથે શાળાએ જઈ રહી હતી. દરમિયાન ઉનાણી ગામ પાસે સ્કૂલ બસ ઓવરટેક કરતી વખતે અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન જોરદાર ધડાકો થયો અને બૂમાબૂમ થઈ હતી. પાંચ બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.

રજાના દિવસે પણ શાળાઓ ચાલુ હતી: માહિતી મળતાં જ લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અનેક બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા આપી ન હતી. બસમાં 35 બાળકો હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.