કેજરીવાલની ચિંતામાં વધારો, રાજકારણમાં ઉથલ-પુથલ થવાની સંભાવના

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમનું કહેવું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે જો બીજેપીમાં ના આવ્યા તો મનીષ સિસોદીયાની જેમ સીબીઆઈ અને ઇડીના નકલી કેસ કરવામાં આવશે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનું કહેવું છે કે આપના ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારનો બીજેપી નેતાઓએ સંપર્ક સાધ્યો હતો.આ દરમિયાન પાર્ટી સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વનો પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે બીજેપી તેમના કેટલાક ધારાસભ્યોને તોડી ના દે.

દિલ્હીની નવી શરાબ નીતિમાં  કથિત કૌભાંડના આરોપમાં સીબીઆઈની (cbi)તપાસનો સામનો કરી રહેલા રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ (manish sisodia)મોટો દાવો કર્યો હતો. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે તેમને એક સંદેશો મળ્યો છે કે આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થવા પર તેમની સામે ચાલી રહેલા બધા કેસ બંધ કરી દેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.