રાજકોટમાં પીએમ મોદી આગામી 28મીએ સભા સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે જેમાં તેઓ આગામી 28 નવેમ્બરના રોજ રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે.આમ વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજવશે.જેમાં આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આગામી 28 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સભા સંબોધન કરશે.