મદરેસાના સરવે દરમિયાન શિક્ષક પર થયેલા હુમલામાં અમદાવાદ પોલીસ 2 લોકોની ધરપકડ કરી

ગુજરાત
ગુજરાત

શિક્ષક સંદીપ પટેલ મદ્રેસા માં અભ્યાસને લઇ ને સર્વે માટે ગયા હતા ત્યારે મદરેસા બંધ હોવાનો ફોટો પાડતા આરોપીઓ ફરહાન શેખ અને ફૈઝલ છીપાએ વિરોધ કરી શિક્ષક સાથે તકરાર કરી હતી અને ત્યારબાદ ઝગડો કર્યો હતો. જેના કારણે આસપાસના લોકોને બોલાવીને ટોળા ભેગા કરીને પકડાયેલા આરોપી અને ટોળાએ માર માર્યો હતો. ત્યારે શિક્ષક સંદીપ પટેલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરીને અન્ય લોકોની ઓળખ કરવા અને તપાસ શરુ કરી છે.

રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં શનિવાર સવારથી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરની 205 જેટલી મદરેસાઓનો સર્વે હાથ ધરાયો હતો. આ સરવે દરમિયાન દરિયાપુર વિસ્તારમાં શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદ બંધ હોવાથી શિક્ષક બંધ મસ્જિદનો ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ પોલીસે તાત્કાલિક ટોળા સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી. જેમા ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.