પાલનપુરની S.N કોઠારી શાળામાં પ્રાર્થનાનો વિરોધ કરાતા ખળભળાટ
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા આવેલી છે. જે શાળામાં થતી પ્રાર્થના સામે લઘુમતી સમુદાયના લોકોએ વિરોધ જતાવ્યો છે. શિક્ષકોએ તાલુકા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરતા મામલો ગરમાયો છે.પાલનપુરના ઢુંઢીયાવાડી ઘેમરપુરા વિસ્તારમાં જિલ્લા પંચાયત સંચાલિત એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા આવેલી છે. જે શાળામાં સરકારી નિયમો મુજબ રોજ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે શાળાની પાછળ રહેતા લઘુમતી સમુદાયના કેટલાક લોકોએ પ્રાર્થના બંધ કરવાની ઉગ્ર માંગ કરી હતી. આ અસામાજિક તત્વો દ્વારા અવાર-નવાર શાળામાં આવી યેનકેન પ્રકારે શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં પણ આવી રહ્યા હોવાની પણ રાવ ઉઠી છે. આગામી ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. ત્યારે પ્રાર્થના કે અન્ય સાંસ્કૃતિક ગીત વડગાડવા સામે પણ વિરોધ જતાવ્યો હતો.જોકે, શાળાના આચાર્ય દ્વારા આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરાઈ છે. ત્યારે પાલનપુરની શાળામાં પ્રાર્થનાનો વિરોધ થતા મામલો ગરમાયો છે.