સૌરાષ્ટ્રનો રાજકોટનો લોકમેળો આગામી 17ના રોજ ખુલ્લો મુકાશે

ગુજરાત
ગુજરાત

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 17મીના સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્રનો લોકમેળો ખુલ્લો મુકાશે.જેમાં આ વખતે અનેકવિધ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.આમ 18 લાખની વસ્તી ધરાવતા મહાનગરમાં એકમાત્ર લોકમેળો યોજાય છે.જેમાં સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસમાં 12 થી 15 લાખ લોકો ઉમટતા હોય છે.આ અન્વયે રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રીંગરોડને તા.17 થી 21 દરમિયાન વાહનવ્યવહાર માટે બંધ કરાશે.આ સિવાય આજુબાજુમાં 15 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાશે.પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ઉપરાંત ખાનગી સિક્યુરીટી પણ રાખવામાં આવી છે.આ મેળામાં પોલીસનું શસ્ત્ર પ્રદર્શન તથા મહાપાલિકા,જિલ્લા પંચાયત અને વિવિધ સંસ્થાઓના સ્ટોલ્સ પણ રખાશે.લેઝર શો યોજવાનું આયોજન પણ થઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.