એક અનોખા માઈભક્ત : અંબે માના ચરણોમાં સવા કિલો સોનાની ભેટ

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ અંબાજી
હાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સવારે રાજકોટના એક અનોખા માઈભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે સવા કિલો ઉપરાંતનુ સોનું માતાજીને ભેટમાં ધર્યુ છે. માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખી એ અંદાજે કિંમત ૬૮, ૨૦,૮૭૫/-લાખની કિંમતનુ સોનુ માતાજીના નિજ મંદિરમાં પૂજા-અર્ચના કરીને માતાજીના અર્પણ કર્યું હતું. જોકે હાલ તબક્કે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે અને આ લોકડાઉન દરમિયાન અંબાજી મંદિરમાં આજે આવેલુ સોનાના દાનને સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં આજે પોતાનું નામ ગુપ્ત રાખી ૧.૨૬૯ કિલોગ્રામ સોનુ જે દાતા ભેટ કર્યું છે તેમણે અગાઉ પણ એક કિલો સોનુ માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે અર્પણ કર્યું હતું. તેમ અંબાજી મંદિરના હિસાબી અદીકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યં હતું

અહેવાલ :- મહેન્દ્ર અગ્રવાલ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.