ઝઘડાઓ છતાં મને ખુશી છે કે મીરા મારા જીવનનો ભાગ છે : શાહિદ

ફિલ્મી દુનિયા

મુંબઈ,  લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતોને લઈને લડાઈ થતી રહેતી હોય છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત વચ્ચે પણ એવું જ થાય છે. એ બંને વચ્ચે પણ ઘણા ઝઘડા થતા રહે છે. પહેલી વાત તો એ છે કે, બંને એકબીજાની સાથે શક્ય એટલો સમય સાથે વિતાવે છે. ક્યારેક બાળકોની સાથે ટ્રિપ પર તો ક્યારેક પરિવારની સાથે મસ્તી-મજાક કરતા-કરતા શાહિદ અને મીરા પોતાની લાઈફને પૂરે-પૂરી એન્જાેય કરે છે. પરંતુ, એક એવી વાત છે, જેને લઈને બંને વચ્ચે ઘણા ઝઘડા થાય છે. કપલ્સ વચ્ચે કોઈપણ વાતને લઈને ઝઘડો થઈ શકે છે, જેની કોઈને કલ્પના પણ ન હોય.

શાહિદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની પંખાની સ્પીડને લઈને લડતા રહે છે. શાહિદ તાજેતરમાં જ ‘કોફી વિથ કરણ’ની સીઝન ૭ના ૮મા એપિસોડમાં કિયારા અડવાણી સાથે જાેવા મળ્યો હતો. શોના ફેમસ રેપિડ ફાયર રાઉન્ડમાં શાહિદે કહ્યું કે, તે અને મીરા દરરોજ રાત્રે પંખાની સ્પીડને લઈને લડે છે. જાેકે, એક્ટરે એમ પણ કહ્યું કે, આ પ્રકારની મૂર્ખતાભરી અસંમતિ છતાં તેને ખુશી છે કે મીરા તેના જીવનનો ભાગ છે. મીરા અંગે વાત કરતા શાહિદ કપૂરે એમ પણ કહ્યું કે, મીરા તેના જીવનમાં ઘણું બધું લાવે છે. તેણે કહ્યું કે, ‘મીરા મને કમ્પ્લેટ કરે છે, તે મને સામાન્ય અનુભવ કરાવે છે.

અમારા બે સુંદર બાળકો છે અને જીવન સારું લાગે છે. શાહિદે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાના લગ્ન પર કંઈ એવું કહ્યું કે જે સાંભળી બંનેના ફેન્સ વધુ એક્સાઈટેડ થઈ જશે. શાહિદે સિડ-કિયારના લગ્નની હિંટ આપતા કહ્યું કે, ટૂંક સમયમાં જ મોટી અનાઉન્સમેન્ટ સાંભળવા મળી શકે છે. એટલું જ નહીં, શાહિદે કહ્યું કે, ‘હું સ્પષ્ટ કરી દઉં કે તે કોઈ ફિલ્મની એનાઉન્સમેન્ટ નહીં હોય. આ પ્રકારની હિંટને જાેતા ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે, ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા પોતાની રિલેશનશિપને જાહેર કરશે કે પછી લગ્નની જાહેરાત પણ કરી શકે છે. આ કપલ શેરશાહના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યું હતું અને તે પછીથી જ આ કપલના લિંકઅપના અહેવાલો આવતા રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.