ચોટીલા જતા પદયાત્રીઓને શંખેશ્વરના પંચાસર ગાડી ચાલકે પદ યાત્રીઓને અડફેટે લીધા
શંખેશ્વરના પંચાસર નજીક હાઇવે ઉપર જઈ રહેલા પદયાત્રીઓને પાછળથી આવી રહેલા ગાડી ચાલકે અડફેટે લઈ 200 મીટર દૂર પસાર થઈ રહેલ રિક્ષાને પણ ધડાકા ભેરટક્કર મારી ગાડી પલટી મારી જતા ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં પદયાત્રી તેમ જ રિક્ષામાં બેઠેલા બાળક મળી 3ના સ્થળ જ મોત થયા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ગાડી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ઝડપી પાડ્યો છે.
આગળ 200 મીટર દૂર જતા જ પસાર થઈ રહેલ અન્ય એક રિક્ષાને ધડાકાભેર ટકરાઈ ગાડી પલટી મારી ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. 4 પદયાત્રીઓ પૈકી એક યાત્રાનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. રિક્ષાને ટક્કર વાગતાં પલટી મારતાં અંદર સવાર મુસાફર પૈકી અંદાજે દશ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. રિક્ષા ચાલક તેમજ અન્ય ત્રણ પદયાત્રીઓ મળી 4 લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.