સતલાસણાના ભીમપુરા નજીક વાહન ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા મોત

મહેસાણા
મહેસાણા

સતલાસણા તાલુકામાં આવેલા ભીમપુરા રિછડા માર્ગ પર એક વૃદ્ધ ચાલીને જતા હતા એ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તપાસ દરમિયાન મૃતક ઠાકોર રત્નાજી રેવાજી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ લાશને સતલાસણા સરકારી સિવિલ ખાતે પી.એમ અર્થે મોકલવામાં આવી હતી. તેમજ અકસ્માત સર્જી ફરાર થનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.