પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર 5 ગાયોને અડફેટે લીધી, ત્રણના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર-અમદાવાદ હાઈવે પર બસચાલકે પાચ ગાયોને અડફેટે લીધી હતી. જેથી ત્રણ ગાયોના મોત થયા છે તેમજ બે ગાયોને ગંભીર ઈજા પહોંચી છે. ગત રાત્રિના સમયે એક બસચાલકે પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર પાંચ ગાયોને અડફેટે લેતા બે ગાયોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ ગાયોને ગંભીરઈજા પહોંચતા જીવદયા પ્રેમીઓએ ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્ત ગાયોને ગો સેવા સંસ્થા પાલનપુરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મળતી મહીતી મુજબ સારવાર દરમિયાન વધુ એક ગાયનું મોત થતા અકસ્માતમાં કુલ ત્રણ ગાયોના મોત થયા છે. તેમજ હાલ બે ગાયની સારવાર ચાલી રહી છે.સ્માતની ઘટનાને પગલે ગૌસેવકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ગાયોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.