પુણે-બેંગ્લોર હાઇવે પર પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવામા આવ્યો
જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદથી નદીઓના પાણીની સપાટી ઝડપથી વધી રહી છે.જેના કારણે અનેક રસ્તાઓ પર પૂરના પાણી આવી જવાથી વાહનવ્યવહાર બંધ થયો છે.23મી જુલાઈના રોજ બપોરથી પુણે-બેંગ્લોર નેશનલ હાઇવે પર પૂરનું આવતા વાહનવ્યવહાર બંધ કરવાની સ્થિતિ નિર્માણ પામી છે.આ વિસ્તારમાં હાલોંડી,શિયે ગામમાં પૂરના પાણી આવવાથી નાગરિકોને સુરક્ષિત ઠેકાણે સ્થળાંતર કરવામાં આવ્યા છે.આ અગાઉ વર્ષ 2005 અને 2011માં પૂરના પાણી આવવાથી વાહનવ્યવહાર બંધ કરાયો હતો.આ સિવાય પોલીસે સુરક્ષાના કારણસર પુણે-બેંગ્લોર હાઇવે પર કોલ્હાપુરથી પુણે જનારો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કર્યો હતો.