કોરોના : આવતીકાલે સવારે ૧૦ વાગ્યે PM મોદી દેશને કરશે સંબોધિત, શું લોકડાઉન વધારવામાં આવશે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ,ડીસા
કોરોના વાયરસનાં કોહરામની વચ્ચે ભારતે ૨૧ દિવસનું લોકડાઉન કર્યું હતુ જે આવતીકાલે ૧૪ તારીખ સુધી હતુ. દેશમાં આ કોરોનાનાં વાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકોને પ્રશ્ન છે કે શું લોકડાઉન વધારવામાં આવશે કે કેમ? આ તમામ અટકળોની વચ્ચે આવતીકાલે ૧૪ તારીખે પીએમ મોદી સવારે ૧૦ વાગ્યો દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ૨૧ દિવસનું લોકડાઉન આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાનાં વધતા કેસોનાં કારણે લોકડાઉન વધારવામાં આવી શકે છે.
 
 
મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોએ લોકડાઉન વધારી દીધું છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોએ લોકડાઉન વધારી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આખા દેશમાં લોકડાઉન ૩૦ એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ પહેલા પીએમ મોદીએ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
 
દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા વધીને ૯૧૫૨ થઈ ગઈ છે. અત્યાર સુધી ૩૦૮ લોકોનાં મોત થઈ ચુક્યા છે, જ્યારે ૮૫૭ લોકો સ્વસ્થ થયા છે. રવિવારનાં મુંબઈમાં કોરોનાનાં ૧૫૨ નવા કેસ સામે આવ્યા, જ્યારે ૨૪ કલાકમાં ૧૪ લોકોનાં મોત થયા. તો દિલ્હીમાં ૨૪ કલાકમાં ૮૫ નવા કેસ આવ્યા છે અને ૫ લોકોનાં મોત થયા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.