પાટણનાં ચર્ચાસ્પદ બનેલા 'બાળ તસ્કરી કાંડ'માં પકડાયેલા અને જેલવાસ ભોગવતા આરોપીઓ પૈકી છેલ્લે પકડાયેલા સાઈ કૃપા હોસ્પિટલનાં મેનેજર અમરતભાઈ ચૌધરી રાધનપુરવાળાની રેગ્યુલરલી જામીન અરજી પાટણનાં સેસન જજ પ્રશાંત એચ.શેઠે ફગાવી દીધી છે. અમૃતભાઈ સામે રાધનપુર નગરપાલિકામાં બાળકનાં જન્મ નોંધાવવા માટે ભરવામાં આવેલ ફોર્મ ભરીને બાળકનું જન્મનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવવામાં આવ્યું હતું. પાટણની કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને જામીન અરજી નામંજૂર કરતાં જણાવ્યું હતું કે,આરોપીને જામની પર મુક્ત કરાય તો તે ફરીયાદ પક્ષનાં પુરાવા સાથે ચેડા કરે અને નાસી-ભાગી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ કેસમાં આરોપીનો રોલ, સજાની જોગવાઈ, કેસની હકીકત, સંજોગો ગુનાની ગંભીરતા જોતાં આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
પાટણનાં 'બાળ તસ્કરી કાંડ' માં સાંઈકૃપા હોસ્પિટલનાં મેનેજરનાં જામીન નામંજૂર કરતી કોર્ટ

સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBનો સપાટો : ભવાની ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણબ્રાહ્મણવાડા ગામની મિલકતનો હક કોનો? પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નવો કાયદાકીય દાખલો સ્થાપિત કર્યો
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં જુગારધામ પર ત્રાટકી પોલીસ, રોકડ રકમ સાથે ૬ શખ્સો જેલહવાલે
2 દિવસ પહેલા
પાટણપાટણમાં દારૂબંધી માત્ર કાગળ પર? જાહેર રસ્તા પર દારૂની પોટલીઓ દેખાતા તંત્ર સામે સવાલ
4 દિવસ પહેલા
