રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજું
આંતરરાષ્ટ્રીય10 જુલાઈ, 2026| Super Admin

શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News

શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું છે કે તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરશે અને કોર્ટમાં આત્મસમર્પણ કરશે. રોયટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેમની સાથે અવામી લીગના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ દેશમાં પરત ફરી કાનૂની પ્રક્રિયાનો સામનો કરશે. તેમણે કહ્યું કે જો તેમની હત્યા થઈ જાય તો પણ તેમને તેનો અફસોસ નહીં હોય, કારણ કે તેઓ પોતાના દેશની માટી પર જીવવા અને મરવા ઇચ્છે છે. શેખ હસીનાના જણાવ્યા અનુસાર, અવામી લીગના અનેક નેતાઓ અને કાર્યકરો સામે કેસ નોંધાયા છે અને ઘણા લોકો હાલ છુપાઈને રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી નથી.

તેમણે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશ પરત ફરવા અંગે સરકાર સાથે કોઈ સીધી વાતચીત થઈ નથી. લોકશાહી, ચૂંટણી અને ન્યાય જેવા મુદ્દાઓ પર કોઈ પડદા પાછળની સમજૂતી થઈ શકે નહીં, એવો પણ તેમણે દાવો કર્યો. હસીનાએ વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ સરકાર તેમને પરત મોકલવા માટે ભારતને પત્રો લખી રહી છે, પરંતુ તેઓએ કહ્યું કે "મને પાછા લાવવાની જરૂર નહીં પડે, હું જાતે જ પાછી ફરીશ."

જોકે, આ દાવા અંગે બાંગ્લાદેશ સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ભારતે પણ કોઈ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસાના કેસમાં શેખ હસીનાને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, હસીનાનો દાવો છે કે કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સત્ય સામે આવશે.

સંબંધિત સમાચાર