અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા યુદ્ધ અને વૈશ્વિક ઓઈલ કટોકટી પછી, કેન્દ્ર સરકારે ભારતની ઉર્જા સુરક્ષાને ચુસ્ત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશમાં તેલની તિજોરીને વધુ મજબૂત કરવા માટે ₹15,000 કરોડના તોતિંગ ખર્ચે એક નવું ભૂગર્ભ ઇમરજન્સી ઓઇલ રિઝર્વ બનાવવામાં આવશે, જેનું નિર્માણ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC દ્વારા કરવામાં આવશે.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ અત્યાધુનિક ઇમરજન્સી ઓઇલ ભંડાર કર્ણાટકના મેંગલુરુમાં જમીનની નીચે ગુફા જેવા મોટા ટેન્કોમાં બનાવવામાં આવશે. જેમાં આશરે 17.5 લાખ મેટ્રિક ટન એટલે કે 1.28 લાખ બેરલ ક્રૂડ ઓઇલ સાચવી શકાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ભારતની હાલની સ્ટોરેજ ક્ષમતામાં સીધો 33% નો જંગી વધારો થશે. હાલમાં ભારત પાસે મેંગલોર, પાદુર અને વિશાખાપટ્ટનમમાં 3 વ્યૂહાત્મક રિઝર્વ છે, જે યુદ્ધ અથવા વૈશ્વિક સપ્લાય અટકી જવાના સમયે 8 થી 9 દિવસ સુધી દેશની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ નવા પ્રોજેક્ટના ખર્ચની વાત કરીએ તો, ONGC ભૂગર્ભ ગુફા બનાવવા માટે ₹5,000 કરોડ અને તેમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે ₹10,000 કરોડનું મોટું રોકાણ કરશે.
ખાસ વાત એ છે કે અત્યાર સુધી દેશના આવા તમામ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનું ફંડિંગ સંપૂર્ણપણે સરકાર કરતી હતી, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત ONGC જેવી દિગ્ગજ કંપની આટલું મોટું વ્યાવસાયિક રોકાણ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ ભારતને મુશ્કેલ સમયમાં પણ આત્મનિર્ભર રાખવામાં મદદરૂપ સાબિત થશે.
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં મંદિર પાસે છત ધરાશાયી, 6નાં મોત
6 કલાક પહેલા
રાષ્ટ્રીયમથુરા અને બદાયૂંમાં થયેલા અકસ્માતોમાં 2 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયહોર્મુઝમાંથી 3 મહિના બાદ આવ્યું ભારતીય જહાજ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારત અન્ય દેશોને કેટલા શસ્ત્રો વેચે છે અને આગામી ત્રણ વર્ષ માટે તેના લક્ષ્યો શું છે? સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આંકડા જાહેર કર્યા
1 દિવસ પહેલા
