રાધનપુર તાલુકામાં પડેલા 12 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે ઓધવ નગરથી બંધવડ જતી મુખ્ય કેનાલમાં અનેક જગ્યાએ મોટાં ગાબડાં પડ્યાં છે. આનાથી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાની અને જાનહાનિ થવાની શક્યતા ઊભી થઈ છે.
તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે કેનાલના માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદના પાણીના પ્રવાહ અને જળબંબાકારની પરિસ્થિતિને લીધે કેનાલનું ધોવાણ થયું છે અને તે ક્ષતિગ્રસ્ત બની છે.કેનાલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાનું અને મોટી જાનહાનિ થવાનું જોખમ સર્જાયું છે.સ્થાનિક રહીશો દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી છે.સમયસર સમારકામ હાથ ધરીને સંભવિત હોનારતને અટકાવવા માટે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે.





