- હોમ
- /Uncategorized
- /કુંભલમેર ગામે તળાવમાંથી ગુમ યુવકની લાશ મળી આવતાં ચકચાર
કુંભલમેર ગામે તળાવમાંથી ગુમ યુવકની લાશ મળી આવતાં ચકચાર

ગ્રામજનોની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી અપાઇ
યુવક બે દિવસ અગાઉ બાઇક લઈ નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક બે દિવસ અગાઉ બાઇક લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવકની કોઈ ભાળ મળી ન હતી અને ત્રીજા દિવસે ગામના તળાવમાંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પાલનપુર તાલુકાના ગણેશપુરા ગામના વતની અને હાલ કુંભલમેર ગામે પોતાના પરિવાર સાથે રહી મજૂરી કામ કરતો 32 વર્ષીય પ્રકાશજી અમરતજી ઠાકોર ગત તા.9 નવેમ્બરના બપોરના સમયે પોતાના ઘરે કોઈને કહ્યા વિના બાઈક લઈને ક્યાંક નીકળી ગયો હતો. જોકે મોડી રાત્રી સુધી આ યુવક ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા તેની સગા વહાલા તેમજ સબંધીઓમા શોધખોળ કરવામાં આવી. તેમ છતાં આ ગુમ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જોકે મંગળવારે ગામના તળાવમાં એક યુવકની લાશ જોવા મળતા ગામલોકો દોડી આવ્યા હતા અને મૃતકની ઓળખ કરતા તે બે દિવસ અગાઉ ગુમ થયેલ ગામનો પ્રકાશજી ઠાકોર હોવાનું માલુમ પડતાં મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને લાશનું પીએમ કરાવી મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
